સંપ્રદાયની પ્રણાલિકા મુજબ નીચેના ઉત્સવો ધામધુમથી ઉત્સાહભેર આપણા મંદિરમાં ઉજવાય છેઃ
૦૧. બેસતા વર્ષે સાકર વર્ષા, ભક્ત મિલન, અન્નકુટ દર્શન
૦૨. દેવ દિવાળીએ મેરમેરૈયાની આરતી, શૈયા અર્પણ
૦૩. ધનુર્માસમાં વહેલી સવારે કથા, ધૂન્ય, પ્રસાદ
૦૪. વસંતપંચમી – વિધીસર શિક્ષાપત્રી પૂજન
૦૫. ફૂલડોલ ઉત્સવ
૦૬. શિવરાત્રી – વિધિસર સમૂહમાં શિવપૂજા
૦૭. કુંજગલી દર્શન
૦૮. રામનવમી – હરિનવમી મહામહોત્સવ
૦૯. વૈશાખ સુદ – ૪, મંદિરનો પાટોત્સવ – સમૂહ મહાપૂજા, અભિષેક
૧૦. રથયાત્રા – આપણા ગુરૂજીનો જન્મદિવસ
૧૧. ગુરૂપૂર્ણિમા પૂજન મહોત્સવ
૧૨. હિંડોળા
૧૩. સિધ્ધેશ્વર મહાદેવજી પૂજન
૧૪. શ્રાવણમાસ – આખો મહિનો સાંજે બ્રહ્મસત્ર
૧૫. જન્માષ્ટમી – વાળયુવા કાર્યક્રમો, ક્રુષ્ણ જન્મોત્સવ
૧૬. ગણેશચતુર્થી – વિધિસર સમૂહમાં ગણેશપૂજા
૧૭. દશેરા – ધ્વજારોહણ કાર્યક્રમ
૧૮. શરદપૂર્ણિમા – બાળ-યુવા ભક્તિ રાસ
૧૯. કાળી ચૌદશ – સમૂહમાં હનુમાનજી પૂજન-સભા
૨૦. દર એકાદશીના વિશેષ સભા ઉત્સવ
૨૧. દર શનિવારે સાંજે સંધ્યા આરતી પછી શ્રી હનુમાનજીનું આરતી, પુજન, પ્રાર્થના
* આખા વર્ષના આ ઉત્સવોની વિડિયો કેસેટ ઉપલબ્ધ છે.
Tags: પાટોત્સવ, મંદિરના ઉત્સવો, રથયાત્રા, શિવરાત્રિ